Difference between revisions of "Main Page"

From Suresh Joshi
Line 31: Line 31:
{{Panal
{{Panal
|title = સુરેશ જોષીનાં પુસ્તકો
|title = સુરેશ જોષીનાં પુસ્તકો
|content = {{:સુરેશ જોષીનાં પુસ્તકો}}
|content = [[સુરેશ જોષીનાં પુસ્તકો]]
}}
}}



Revision as of 16:42, 13 October 2021


Suresh Joshi
The encyclopedia of all things related to Suresh Joshi



Suresh Joshi 1955.jpg

ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્રના સંસ્થાપક અને આધુનિક ગુજરાતી સાહિત્યના યુગપુરુષ-સર્જક સુરેશ જોષી (૩૦.૦૫.૧૯૨૧ – ૬.૦૯.૧૯૮૬)ના, કવિતા-વાર્તા-નિબંધ-વિવેચન-અનુવાદ-મીમાંસા-સંપાદન જેવાં સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં અનન્ય પ્રદાનથી સાહિત્યપ્રેમી મિત્રો સુપરિચિત છે. એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપને વ્યક્ત કરતાં અનેક પુસ્તકો-સંચયો પ્રગટ થઈ ચૂક્યાં છે. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં એકાધિક સામયિકો – ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, ઊહાપોહ અને એતદ્‌ ઉપરાંત દ્વિભાષી સેતુમાં જોવા મળ્યાં છે. આ બધી અમૂલ્ય પણ હાલ અપ્રાપ્ય સામગ્રી તેમજ પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે તે વિપુલ સામગ્રી પણ કાયમ માટે જળવાઈ રહે, અત્યારની અને આવનારી સાહિત્યરસિક પેઢીઓને એક જ ઠેકાણે સુલભ રહે એવી શ્રી. ગુલામમોહમ્મદ શેખની પરિકલ્પના, શ્રી. અતુલ રાવલ અને એકત્ર ફાઉન્ડેશન - અમેરિકા અને શ્રી. પ્રણવ સુરેશ જોષીના સહયોગથી સુરેશ જોષી જન્મશતાબ્દી નિમિત્તે, sureshjoshi.org નામની વેબસાઇટ રૂપે સાકાર થઈ છે. ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર આ પ્રકલ્પના એક સહયોગી તરીકે તેને પ્રસ્તુત કરતાં અત્યંત આનંદ અને ગર્વ અનુભવે છે. સુરેશ જોષીના સમગ્ર સાહિત્યનું કદ અત્યંત વિશાળ હોઈ, એ સામગ્રી અહીં ક્રમશઃ ઉમેરાતી જશે. આશા છે આપ સહુ આ પ્રવૃત્તિને વધાવી લેશો.
સહુ સાહિત્ય-પ્રેમી મિત્રોનું સુરેશ જોષીના સાહિત્ય-વિશ્વમાં સ્વાગત છે.
- કમલ વોરા (ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર વતી)


સુરેશ જોષી દ્વારા સંપાદિત સામયિકો


સુરેશ જોષીનાં સામયિકો

સાહિત્યક્ષેત્રે સુરેશ જોષીના પ્રદાનનો ક્યાસ કાઢવો હોય તો શિરીષ પંચાલે સંપાદિત કરેલા પંદર ગ્રંથો જોતાં એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપનો પરચો થાય. એમની સાહિત્યદૃષ્ટિ અને પ્રવૃત્તિ પોતાના સર્જન પૂરતી મર્યાદિત નહોતી. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ ઉપરાંત દ્વિભાષી ‘સેતુ’માં પ્રગટ થયાં છે. લગભગ ૧૯૪૬થી ૧૯૮૬ લગીનાં એ સામયિકોમાં સર્જનાત્મક તેમજ વિવેચનાત્મક-વિશ્લેષણાત્મકનાં કહેવાતાં અંતિમોને આવરી લેતી સમ્યકદૃષ્ટિ તો પ્રતિબિંબિત થાય છે જ, પણ એમાં બદલાતા જતા સમયના પરિપ્રેક્ષ્યનાં પાસાં પણ સમાઈ જાય છે. એ દૃષ્ટિએ આ સામયિકો લગભગ અડધી સદીનાં સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિનો ઐતિહાસિક દસ્તાવેજ પણ બની જાય છે. વિશ્વસાહિત્ય ગુજરાતને આંગણે પહોંચાડવા એમણે ઉત્તમ કૃતિઓનું ચયન કર્યું, અનુવાદો કર્યા અને કરાવ્યા એમાં આધુનિક ચેતનાના આવિષ્કારોની સંવિત્તિ સાકાર થઈ. અંગત વાત કરું તો, કોઈ ન કરે એવા દૃશ્યકળાવિશેષાંકની મારી દરખાસ્તને અમલમાં મૂકી અને ‘ક્ષિતિજ’નો બેવડો અંક (૪૭-૪૮, મે-જૂન, ૧૯૬૩) કર્યો અને દૃશ્યકળાની જાગૃતિ કેળવવા દર અંકે પૂંઠાં બદલવાની છૂટ દીધી. વુડકટ અને લીનોકટ, લિથોગ્રાફી અને સિલ્કસ્ક્રીનની હાથછપાઈની તરકીબો વાપરી આધુનિક કળાકારો પાસે મૌલિક કૃતિઓ કરાવડાવી તે મેં અંક ૫૦ (ઑગસ્ટ, ૧૯૬૩) લગી સંભાળ્યું અને ત્યાર બાદ મારા વિદેશગમન દરમિયાન એનો હવાલો ભૂપેન ખખ્ખરે લીધો.

સુરેશ જોષી-સંપાદિત સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ તથા વાર્ષિકો ‘સાયુજ્ય’ અને ‘નવભારત દીપોત્સવી’ ઉપરાંત દ્વિભાષી સામયિક ‘સેતુ’, વગેરેના બધા અંકોનું સ્કેનિંગ કરવાના અભિયાનમાં નીચેના સાહિત્યકાર-મિેત્રોનો સહકાર સાંપડ્યો છે : શિરીષ પંચાલ, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, બિપિન પટેલ, કિશોર વ્યાસ, રાજેશ દોશી (ફાર્બસ ગુજરાતીસભા), હરીશ મીનાશ્રુ (ગુજરાતી સાહિત્ય પરિષદ), પ્રણવ જોષી, અજય રાવલ, અશ્વિની બાપટ, બાબુ સુથાર, અતુલ ડોડિયા, જયેશ ભોગાયતા, પ્રબોધ પરીખ, કમલ વોરા, નૌશિલ મહેતા, રાજેશ મશરૂવાળા અને અતુલ રાવલ.

પ્રૉ. રાજેશ પંડ્યા અને તેમના વિદ્યાર્થી રાઘવ ભરવાડે ખૂબ જ જહેમત અને સૂઝપૂર્વક ‘ક્ષિતિજ’ના બધા અંકોની વર્ગીકૃત અને લેખકસૂચિ તૈયાર કરી આપી તે માટે બધા વતી એમનો પાડ માનું છું.

સ્કેનિંગમાં સહાયક – રાજેશ પરમાર, સ્કેનિંગનું સ્થળ – ઓમ કૉપી પૉઇન્ટ, વડોદરા. કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા-યાચના.

~ ગુલામમોહમ્મદ શેખ
૨૮-૨-૨૦૨૧


૧. ફાલ્ગુની


૨. વાણી

૩. મનીષા

૪. ક્ષિતિજ

સુરેશ જોષીનાં પુસ્તકો


સુરેશ જોષીનાં પુસ્તકો

સુરેશ જોષીનાં અપ્રગટ/અગ્રંથસ્થ લખાણો


સુરેશ જોષીનાં અપ્રગટ/અગ્રંથસ્થ લખાણો

સુરેશ જોષીના પત્રો


સુરેશ જોષીના પત્રો

સુરેશ જોષીની હસ્તપ્રતના નમૂના


સુરેશ જોષીની હસ્તપ્રતના નમૂના

સુરેશ જોષીના અલભ્ય ફોટોગ્રાફ


સુરેશ જોષીનાં વ્યાખ્યાનોનું દ્રશ્ય-શ્રાવ્ય ધ્વનિમુદ્રણ


ભરત નાયક દ્વારા બનેલી સુરેશ જોષી પરની ફિલ્મ


ભરત નાયક દ્વારા બનેલી સુરેશ જોષી પરની ફિલ્મ

  1. ફિલ્મ-1
  1. ફિલ્મ-2